મોરબી ના કેનાલ રોડ પર રહેતા પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

મોરબીમાં પરણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ મોરબી -૫૦૨ ઓમ પેલેસ જય અંબે નગર અવની ચોકડી કેનાલ રોડ પર રહેતા ભારતીબેન વિજયકુમાર ભોજાણી (ઉ.વ. ૪૦) નામની પરણીતાએ ગત તા.૧૫-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાના પતિના ઘરે પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં ફોર વ્હીલમા લઈ મોરબી ખાનગી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.