મોરબી : શિક્ષક દંપતિના પુત્ર આદ્રોજા પ્રિયાંશના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

કલ્યાણ (વજેપર) શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી

મોરબીના જુના નાગડાવાસ સીઆરસી કોઓડીનેટર સંદિપ આદ્રોજા અને કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા હીનાબેન સદાતીયાના પુત્ર અને સરસ્વતી શિશુમંદિર – શનાળામાં કક્ષા ૬ માં અભ્યાસ કરતા આદ્રોજા પ્રિયાંશે પોતાના જન્મદિવસ નિમિતે ખોટા ખર્ચ કરવાના બદલે, મોંઘી મોંઘી કેક કાપવાના બદલે શિશુ મંદિર શાળામાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરી,વજેપર કલ્યાણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી

જન્મદિવસની યથાર્થ અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.શાળાના તમામ વિદ્યાર્થીઓએ પ્રિયાંશને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.