મોરબીમાં 88 વર્ષની ઉંમરે ઘેર બેઠા મતદાન કરતા પ્રમિલાબેન રાઠોડ

લોકોનું, લોકો દ્વારા લોકો માટે શાસન વ્યવસ્થા એટલે લોકશાહી,લોકશાહીમાં ચૂંટણી એ એક અગત્યનો અવસર છે.અને તંદુરસ્ત લોકશાહી માટે મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે આ વખતની વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં અંધ-અશક્ત, વરિષ્ઠ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરેલ હતી

જેમાં બુથ લેવલ ઓફિસરે ઘરે ઘરે ફરી ફોર્મ નંબર- ૧૨ ડી ભરીને ચૂંટણી અધિકારીને આપેલ હતા એ મુજબ ચૂંટણી પંચના કર્મચારીઓ અધિકારીઓએ આવા અંધ,અશક્ત અને વરિષ્ઠ મતદારોના મતદાન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં પ્રમિલાબેન વી.રાઠોડે 88 વર્ષની ઉંમરે અશક્ત હોય ઘરે બેઠા મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરી જાગૃતતાના દર્શન કરાવ્યા હતા.