હળવદ : ઘનશ્યામપુર ભલગામડા રોડ પર અકસ્માત બે ઇજાગ્રસ્ત એક નું ઘટના સ્થળે મોત

ઘનશ્યામપુર ભલગામડા રોડ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત – ૨ ઇજાગ્રસ્તો ને સુરેન્દ્રનગર રીફર કરાયા

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ થી સરા તરફ જનારા રસ્તા પર ઘનશ્યામપુર ભલગામડા રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા, જો ઘટનાની વાત કરવામાં આવે તો ઘનશ્યામપુર ભલગામડા રોડ વચ્ચે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મોહનભાઈ માવજીભાઈ ઝાલા રહેવાસી રામપરા વાળા નું ઘટના સ્થળજ મોત નિપજ્યું હતું.

જ્યારે જાદવ ચેતનભાઇ ગગજીભાઈ ઉમ -૪૫ રહે મફ્તીયાપરા તેમજ પીન્ટુ ભુપતભાઈ ઉમ -૨૫ રહેવાસી રામપરા ધાંગધ્રા વાળા ને ગંભીર ઇજાઓ પહોંચતા સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા