મોરબી પંજાબના ઊર્જા મંત્રી હરભજનસિંહ ઇટિયોએ શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો

જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણમાં ગરમાવટ વધતી જાય છે તાજેતરમાં જ મોરબી વિસ્તારમાં ભાજપના ત્રણ મુખ્યમંત્રી ઓ દ્વારા સભાઓ કરવામાં આવી ત્યારે રાજનીતિ માં પરિવર્તન ની નવી શરૂઆત કરવા વાળી આમ આદમી પાર્ટી એ ૬૫-મોરબી માળીયા સીટ પર શિક્ષિત અને યુવાન એવા પંકજ રાણસરિયાને ટીકીટ આપેલ

જેમને વિજય કરવા આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યું છે ત્યારે પંજાબ સરકારના ઊર્જા મંત્રી હરભજનસિંહ ઇટિયો મોરબી પધારી લોકોના ઘરે ઘરે જઈ પરિવર્તન માટે લોકોને સમજાવી રહ્યા છે જેના કારણે લોકો પર પરિવર્તન ના મૂડ માં આવી રહ્યા હોય તેવા અણસારો વર્તાય રહ્યા છે.