નવયુગ કોલેજ ખાતે થેલેસેમિયા કેમ્પ યોજાયો

નવયુગ કોલેજ ખાતે એન. એસ. એસ. યુનિટ દ્વારા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા તથા પ્રોગ્રામ ઓફિસર રાજ પંડિત દ્વારા થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા અને નવયુગ સંસ્થાના પ્રમુખ પિ.ડી. કાંજિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ દ્વારા આ કાર્યક્રમ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર વરૂણ ભીલા , હેતવી સુતરીયા, પ્રિયામેડમ, ભાવેશ ચોલેરા જાનકી કાલાવડીયા, કૃપાલી પરમાર, હિરલ સંતોકી, જાનકી ઠાકર અને ગઢવીભાઈ દ્વારા જેહેમત ઉઠવામાં આવી હતી