મોરબી સમસ્ત લોહાણા સમાજ દ્વારા રામધામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન સમારોહ યોજાશે

(અહેવાલ: જયેશ બોખાણી) : મોરબી: સમસ્ત લોહાણા સમાજના એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી વિજયી થયા છે. ત્યારે આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવારના રોજ શ્રી રામધામ-જાલીડા મુકામે સમસ્ત લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તથા વિજયોત્સવનું આયોજન કરવામા આવનાર છે.

જે અંતર્ગત મોરબી જલારામ મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ-મોરબીની બેઠક મળી હતી. જેમાં જ્ઞાતિની વિવિધ સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા.૧-૧-૨૦૨૩ રવિવારના રોજ સવારે ૭ઃ૩૦ કલાકે મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપાના દર્શન કરી મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ રામધામ જવા રવાના થશે, શ્રી રામધામ મુકામે મોરબી લોહાણા સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા ધારસભ્ય જીતુભાઈ સોમાણીનું અદકેરૂ સન્માન કરવા નિર્ધારીત કરવામાં આવ્યુ છે.

મોરબી લોહાણા સમાજની મળેલ બેઠકમાં શ્રી લોહાણા મહાજન-મોરબી, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી, રઘુવંશી યુવક મંડળ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, ક્લોક એશોસિયેશન-મોરબી, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર-મોરબી, રઘુવંશી મહિલા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ-મોરબી , શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી સહીત ની સંસ્થા ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.