આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડાયરેક્ટર અને સ્થાપક એવા ડો. ચેતન અઘારા નો આજે જન્મદિવસ

મોરબી બાદ જામનગર અને સુરેન્દ્રનગરમાં મલ્ટી સ્પેશિયાલિટી નું સંચાલન કરતા આયુષ ગ્રુપના સ્થાપક અને ચીફ મેનેજિંગ ડાયરેક્ટર ડો. ચેતન અઘારાનો આજે જન્મદિવસ હોય તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ.
આયુષ ગ્રુપ આરોગ્ય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. માત્ર મોરબી જિલ્લા પૂરતું જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને આરોગ્ય સેવા પ્રદાન કરે છે. 194 બેડ સાથે મોરબીમાં આયુષ હોસ્પિટલ, 172 બેટ સાથે જામનગરમાં ઓસવાલ આયુષ હોસ્પિટલ અને 120 બેડ સાથે સુરેન્દ્રનગરમાં સવા આયુષ હોસ્પિટલ એમ ટોટલ 486 બેડની હોસ્પિટલ નું સંચાલન આયુષ ગ્રુપ ડો. ચેતન અઘારા અને ટીમ દ્વારા થાય છે.
લાખો લોકો અને આરોગ્ય સેવા પૂરી પાડનાર આ ગ્રુપ ટેકનોલોજીમાં પણ ખૂબ જ અને અગ્રેસર છે, જેમણે હમણાં તાજેતર માં જોઇન્ટ રિપ્લેશમેન્ટ માટે ફુલ્લી ઓટોમેટીક રોબોટીક સર્જરી ની સૌરાષ્ટમા સૌપ્રથમ & એકમાત્ર શરુઆત કરી છે. 60 કરતાં વધારે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરની ટીમ સાથે આ ગ્રુપ આરોગ્ય સેવા આપવામાં હંમેશા તત્પર રહે છે.

 

આપણા મોરબી માટે ગર્વની વાત છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ ઓપરેશન કરાવવા માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં આવે છે અને સાજા થઈને ડો. ચેતન આધારા અને તેની ટીમને આશીર્વાદ આપે છે.