જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવાઈ

     જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ છ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩  સુધી લંબાવવામાં આવી છે હવે તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૩ માટે ઓનલાઇન અરજી કરી શકાશે

     આ પ્રવેશ પરીક્ષા આપવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  https://navodaya.gov.in પર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે,  અને આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ કરવામાં આવી છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિદ્યાલય નો સંપર્ક કરવા જવાહર નવોદય વિદ્યાલય ઇડર વિરપુર આચાર્યની એક અખબારી યાદીમાં જણાવાયું છે.