મોરબી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરનો 23મો પાટોત્સવ ભક્તિભાવથી ધામધૂમથી ઉજવાયો

રાત્રીકથા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી ના શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પ્રસિદ્ધ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ઘનશ્યામ મહારાજ નો 23 મો પાટોત્સવ તા 21 થી 26 ફેબ્રુઆરી છ દિવસ મંદિર ના મહંત પૂ પ્રેમપ્રકાશદાસ સ્વામી ની શુભ પ્રેરણા થી ભક્તિભાવ થી ધામધૂમથી ઉજવાયો હતો જેમાં પાંચ દિવસ પૂ સ્વામી ની વાણી માં રાત્રીકથા જપયજ્ઞ કથાવાર્તા મંગળા આરતી અભિષેક દર્શન શણગાર 56 ભોગ અન્નકૂટ દર્શન સંત આશીર્વાદ મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં આદ્રોજામનુભાઈ પ્રેમજીભાઈ અને વિજયભાઈ લવજીભાઈ પરિવાર તરફથી સંસ્કારધામ ગૌશાળા ને ગાયોના ઘાસચારા માટે બોલેરો ગાડી ભેટ આપી હતો તેમજ આ સમારોહ માં પેપરમીલ ઉદ્યોગપતિ મૂળ મોડપર ના વતની ને હાલ મોરબી ડાયાભાઇ બેચરભાઈ કગથરા પુત્ર પુત્ર હરેશભાઇ ના હસ્તે ઘનશ્યામ મહારાજ ને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કર્યા હતો હરિભક્તો ને મહાપ્રસાદ નું આયોજન પણ તેના દ્વારા કરવામાં આવ્યું હતું

આ પાટોત્સવ માં સંસ્કારધામ મંદિર સહિત વિવિધ સ્વામિનારાયણ મંદિર ના સંતો મહંતો ઉપસ્થિત રહી ને આશીર્વચન પાઠવ્યા હતા આ સમારોહ નું સફળ સંચાલન શાસ્ત્રીસ્વામી એ કર્યું હતું. મંદિર ના ટ્રસ્ટીગણ મંદિર ના સેવાભાવી યુવાનો એ જહેમત ઉઠાવી ને આ કાર્યક્રમ ને દિપાવ્યો હતો.