મોરબી : મોંઘવારી મુદ્દે “આપ” મેદાને પ્રજા ક્યારે જાગશે ?

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ભાજપ સરકારની તાનાશાહી વૃત્તિ તેમજ મોંઘવારી વિરૂદ્ધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંદર તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. યુવા નેતા પંકજ રાણસરીયા દ્વારા ભાજપ ની જાટકણી કાઢવામાં આવી હતી તેમજ ભાજપ સરકારની રંગ બદલાવવાની ટેવનો સખત વિરોધ કર્યો હતો.

જ્યારે જ્યારે ચુંટણી હોય ત્યારે ભાજપ મતદારોના મત લેવા માટે થઈ ને લોભામણી લાલચો આપતું હોય છે અને ચુંટણી પૂરી થતાં તરત જ પોતાનું તાનાશાહી નીતિ અને ભ્રષ્ટાચારી રૂપ બતાવતું હોય છે. જ્યારે પણ મોરબી જીલ્લા ના મતદારોને ભાજપ દ્વારા તકલીફ પડશે ત્યારે આમ આદમી પાર્ટી એમની સાથે ખંભે ખંભો મિલાવી ને ઉભી રહેશે.