મોરબી ની આગવી ઓળખ ઉભી કરતા જોવા લાયક સ્થળો ને પુનઃ સ્થાપીત કરવા રજુઆત

એક સમયે મોરબી સૌરાષ્ટ નું પેરીસ ગણાતું હતું. તેમજ જોવા લાયક સ્થળો ના કારણે લોકો પોતાના પ્રવાસ માં મોરબી નો સમાવેશ અચુક કરતા હતા.

પરંતુ હાલમાં મોરબી ના તો સૌરાષ્ટ્ર ના પેરીસ ની ઓળખ ધરાવે છે. નાતો પ્રવાસ ના ક્ષેત્રે જોવા લાયક સ્થળ માં સ્થાન ધરાવે છે,

મોરબી ને પેરીસ ની પોતાની ઓળખ માટે નો તંત્ર દ્વારા સાફ સફાઈ અને સુદર રસ્તાઓનું આયોજન કરવું જરૂરી છે. જે માટે તંત્ર ની ઈચ્છા શક્તિ નો સંપૂણ અભાવ જણાય છે. મોરબી ના કમ નસીબે મોરબી ને એવો કોઈ કરિશ્માઈ નેતા પણ નથી મળ્યો કે જેને મોરબી ની ઓળખની ચિંતા હોય અને મોરબી માટે સારા કાર્યો કરે અને કરાવરાવે.

સિરામિક અને ધડીયાળ ઉદ્યોગ માં વિશ્વ લેવલે નામ ધરાવતા મોરબી ની સ્થાનિક હાલત ખુબજ બદતર છે. નાતો સફાઈ છે, નાતો દરેક વિસ્તાર ને નિયમિત સારું પીવાનું પાણી મળે છે. નાતો સારી ગટર વ્યવસ્થા છે. નાતો સારા રોડ રસ્તા છે. નાતો ટ્રાફિક ની સમસ્યા નો કાયમી ઉકેલ છે. અને તંત્ર માં આવતી કરોડો ની ગ્રાન્ટ નો વ્યવસ્થિત ઉપયોગ કરાવી શકનાર કોઈ આગેવાન કે અધિકારી પણ નથી.

હમણાં હાઇકોર્ટ દ્વારા ગુજરાત ના બ્રીજો ને સ્મારકામ કરવા માટે ની નીતિ નક્કી કરવા નું જણાવવામાં માં આવેલ છે. તેવીજ રીતે તેમાં આ જુના બાંધકામો કે જે ભવ્ય ભૂતકાળ અને આપણી સંસ્કૃતિ નો અમુલ્ય વરસો છે. તેને જાળવવા તથા તેનું સમારકામ કરાવવા માટેની પણ કોઈ નીતિ સરકાર નક્કી કરે અને તે મુજબ સારા કામો કરે તેવું આયોજન કરવા વિનતી છે.
મોરબી નો વાઘમહેલ કે જે ને મણી મંદિર તરીકે પણ ઓળખવા માં આવે છે. તેને યોગ્ય જાણવણી સાથે લોકો ને જોવા માટેનું યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવી ને લોકો માટે ખુલ્લું મુકવા માટે યોગ્ય કરવા અમારી માંગણી છે.

મોરબી નો જુલતો પુલ જે હાલમાં તૂટી જવા પામેલ છે. તે મોરબી ની જનતા માટે મોરબી ના મહારાજા દ્વારા આપવામાં આવેલ અમુલ્ય ભેટ હતી. તેને ફરી થી યોગ્ય ડીઝાઇન તથા યોગ્ય કામગીરી અને નીતિ નિયમો સાથે ફરીથી રીપેરીંગ કરીને મોરબી ની જનતા માટે ખુલ્લો મુકવા અમારી માંગણી છે. અને જે ગોજારો બનાવ બન્યો તે અત્યંત દુખદ છે. તેમાં હોમાયેલ મૃતક પ્રત્યે સવેદના સાથે શ્રધાંજલિ પાઠવું છું.

તેના પરિવાર ને ભગવાન દુખ સહન કરવાની શકતી આપે તથા આ આઘાત માંથી જલ્દી બહાર આવે તેવી પ્રભુ ને પ્રાથના કરું છું. તેઓને યોગ્ય વળતર માટે હાઇકોર્ટ જે આદેશો કરેલ તે માટે નામદાર હાઇકોર્ટ નો અભાર માનું છું. હજુ પણ હાઇકોર્ટ આમાં યોગ્ય આદેશો અને ન્યાય કરશે તેવી મને સ્મુર્ણ શ્રધ્ધા છે, પરંતુ આ બધાને સાચી શ્રધ્ધાંજલી તો આ જુલતો પુલ ફરીથી ચાલુ થાય ત્યારે ગણાય તેવું મારૂ અંગત માનવું છે. તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.

મોરબી માં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ કે જે મોરબી ના મહારાજા નો શિક્ષણ પ્રત્યે નો પ્રેમ હતો તે બતાવે છે. અને પોતાના રાજ્ય માં સારું ઉચ્ચશિક્ષણ સ્થાનિક લેવલે મળી રહે તે માટે પોતાનો જુનો રાજમહેલ કોલેજ બનાવવા માટે આપેલ હતો . તે બિલ્ડીંગ રીપેર થાય તો તે પણ એક જોવા લાયક સ્થળ માં તેનો સમાવેશ થાય છે. તો આ બિલ્ડીંગ ને પણ સમારકામ કરાવી ને લોકોને જોવા લાયક સ્થળ તરીકે તેને ખુલ્લો મુકવા અમારી માંગણી છે.

મોરબી ની નગર પાલિકા દ્વારા બે વર્ષ પહેલા ના બજેટ માં રીવર ફ્રન્ટ બનાવવા માટે નું આયોજન કરવાની જોગવાઈ કરવામાં આવેલ પરંતુ સ્થાનિક સતાધીસો ને આવા કામ મા બિલકુલ રસ ન હોવાથી આ કામ દિવાસ્વપ્ન સમાન રહ્યું તેની જોગવાઈઓ ફક્ત કાગળ ઉપર જ રહી તો આ કામ ને પણ અગ્રતા આપીને રીવર ફ્રન્ટ પણ બનાવવા કાન્તિલાલ ડી. બાવરવા( જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન) દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી છે