શ્રી સજનપર પ્રા. શાળામાં શહીદ દિનની ઉજવણી કરાઈ

ટંકારા તાલુકાની શ્રી સજનપર પ્રા. શાળામાં શહિદ દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં ભારતમાતાની રક્ષા કાજે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર સજનપર પ્રા. શાળાના ધો. 1 થી 5 ના બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી તેના વિચારો રજૂ કર્યા હતા.

દેશની આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્યસેનાનીઓની બલિદાનની ગાથા શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી. સમગ્ર શાળા પરિવાર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

આ કાર્યક્રમના સુંદર આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.