માળિયા : સુલતાનપુર શાળામાં ઘોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ અને શુભેચ્છા સમારંભ યોજાયો

ઉચ્ચ પ્રાથમિક શાળા ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ધોરણ 8 ના બાળકોને નવી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવા અને જીવનમાં હજુ આગળ સારી એવી પ્રગતિ કરે એવી પ્રગતિના પ્રતિભાવો આપવા માટે આજ રોજ શાળા માં ધોરણ 8 ના બાળકોનો શુભેચ્છા અને સન્માન સમારંભ યોજયો હતો જેમાં શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો અને વાલીગણ હાજર રહ્યાં હતાં

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને અને ધોરણ 8 ના બાળકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતાં ત્યારબાદ બધા વિદ્યાથીઓએ અને શિક્ષક સ્ટાફે સાથે ભોજન લીધું હતું આ કાર્યક્રમ ખુબ જ સારી રીતે સફળ રહ્યો હતો અને ભાવિ વિદ્યાથીઓ માટે પણ પ્રેરણાદાયી રહ્યો