મોરબી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી આશિર્વાદ પ્રાપ્ત કરતા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ (ચાંદલી)

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૂ.જલારામબાપા ના આશિર્વાદ પ્રાપ્ત કરતા ક્ષત્રિય સમાજ અગ્રણી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી)

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ક્ષત્રિય સમાજ અગ્રણી શ્રી મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (ચાંદલી) એ સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પૂજ્ય જલારામ બાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ તકે મયુરસિંહ જાડેજા (ચાંદલી), ભવ્યરાજસિંહ જાડેજા, વિશાલભાઈ બાંભવા, જયદીપભાઈ વૈષ્ણવ, દીગુભા રાઠોડ, સોહિલભાઈ સુમરા, અર્જુનભાઈ ભાનુશાલી, નિખિલભાઈ છગાણી સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂ. જલારામ બાપા ની મહાઆરતી કરી, પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.