ABVP મોરબી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટની બસ વધારવા રજુઆત

ABVP મોરબી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટને લઈને સમસ્યાનું સમાધાન કરવામાં આવે જેથી વિધાર્થીઓને હાલાકી ભોગવવી ન પડે તે બાબતે વિધાર્થીઓ ને સાથે રાખી કરાઈ ઉગ્ર રજૂઆત કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા માળિયા – દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે જ્યારે બસ ની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિધાર્થીઓને અનેક પરિસ્થિતિ નો સામનો કરવો પડી રહ્યો છે વિધાર્થી દ્રારા અનેક વાર એસટી વિભાગ મા મૌખિક રજુઆત કરવામાં આવી પણ એસટી તંત્ર દ્વારા વિધાર્થી ની વાત સાંભળવા ન આવી હોવાથી વિદ્યાર્થી હિત માટે ABVP દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી આગામી સમયમાં વિધાર્થી ની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગ તંત્રની રહેશે.