મોરબીની સિદ્ધ સમાધી યોગ SSY ની ચૌદ દિવસીય શિબિર રીટ્રીટ પ્રોગ્રામ સાથે સંપન

જૂનાગઢ ખાતે SSY ની 90 મી શિબિર રીટ્રીટ પ્રોગ્રામ સાથે સંપન, શિબિરમાં એકસો પચીસ જેટલા સાધકો અને ચાલીસ જેટલા વોલેન્ટીયર જોડાયા

મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને કોરોના કાળ બાદ યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર યોજાઈ ગઈ જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ – ધ્યાન – યોગ્ય ખોરાકની સમજ – યોગાસન – આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે,SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે

મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા 125 જેટલા સાધકો અને ચાલીસ જેટલા વોલેન્ટીયરએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાયેલ હતા અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે અને સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે તા.03.07.23 થી શિબિર શરૂ થયેલ હતી જેમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ 120 ભાઈઓ અને 45 જેટલા બહેનોએ દશ દિવસ સુધી મોરબી ખાતે યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે દદરોજ ત્રણ કલાક જ્ઞાન મેળવ્યું,યોગ પ્રાણાયામ શીખ્યા તેમજ જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કર્યું

છેલ્લા ચાર દિવસ જૂનાગઢ ખાતે આંબા ભગતની વાડીમાં કુદરતના ખોળે કુદરતના સાનિધ્યમાં વિવિધ પ્રોસેસ દ્વારા મૌન-ધ્યાનની સાધના પુરા ભાવથી પ્રાપ્ત કરી સાધકોએ જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી રીટ્રીટ પ્રોગ્રામ સાથે SSY સિદ્ધ સમાધી યોગ ચૌદ દિવસીય શિબિર સંપન થયેલ છે.આ શિબિર સફળ બનાવવામાં તમામ સાધકો, તમામ વોલઈન્ટીર અને તમામ યોગ ટીચરે ખુબજ જહેમત ઉઠાવી હતી.