સાપર બાલવાટિકામાં 300 જેટલા વૃક્ષો તેમજ ફૂલ છોડનું વૃક્ષારોપણ કરાયું

સાપર બાલવાટિકામાં શ્રી સાપર ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા, શ્રી સાપર પ્રાથમિક શાળાના આચાર્ય કાલરીયા જયેશભાઈ અને શિક્ષક પંડ્યા જસ્મીનભાઈ તેમજ સાપર ગામના યુવા મિત્ર જયપાલસિંહ જાડેજા (લાલભા જાડેજા) તેમજ શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી 300 જેટલા વૃક્ષો તેમજ ફૂલ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.