મોરબી : સોમનાથ સોસાયટીમાં પુરુષોતમ માસની પૂજા-અર્ચના અને કથાનું આયોજન

મોરબી: આજે 18 જુલાઈ અને મંગળવારથી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની શરૂઆત થય છે. ત્યારે હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા પુરુષોતમ માસનો ઘણો મહિમા છે.

ત્યારે મોરબીમાં સોમનાથ સોસાયટી કોમન પ્લોટમાં આજે તા.18 ના સવારે 8:30 થી 10:30 કલાક સુધી પુરુષોતમ માસની પૂજા અર્ચના અને કથા રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથા વક્તા તરીકે શાસ્ત્રી રસિકભાઈ ખેલશંકર વ્યાસ તથા શાસ્ત્રી અભયભાઈ રસિકભાઈ વ્યાસ બિરાજમાન થાશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને ભગવાન પુરુષોતમજીની આરાધના કરી કથા રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે