વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચમનભાઈને ASIનું પ્રમોશન

રિપોર્ટ-મયુર ઠાકોર : તાજેતરમાં મોરબી પોલીસવડા દ્વારા બદલી તેમજ પ્રમોશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વાંકાનેર તાલુકના ઘીયાવડ ગામના વતની એવા ચમનભાઈ ચાવડાને એ.એસ.આઈ તરીકે પ્રમોશન મળ્યું પોતાની ફરજ નિષ્ઠા અને પ્રમણિકતાથી ટ્રાફિક,ડી સ્ટાફ સહિત અલગ અલગ ક્ષેત્રમાં પોતાની ફરજ સુંદર રીતે નિભાવી સાચા પ્રજાના રક્ષક તરીકે સાબિત થયા છે

ઉપરાંત ગુનાખોરીને ડામવા હંમેશા તત્પર રહી દારૂ જુગાર સહિત ગેર પ્રવૃત્તિઓ નાબૂદ કરવામાં અગ્રેસર રહી પોતાની સાચી ફરજ અદા કરી રહ્યા છે ત્યારે તેંમની કામગીરીને ધ્યાનમાં લઈ પોલીસવડા દ્વારા તેઓને એ.એસ.આઈ તરીકે પ્રમોશન આપ્યું છે. સામાન્ય લોકો સાથે મિત્રભાવથી રહેનાર ચમનભાઈ લોકોમાં પોતાના સ્વભાવના કારણે સારી એવી લોકચાહના ધરાવતા હોવાથી તેઓને ASI તરીકે પ્રમોશન મળતા ઠેરઠેરથી શુભેચ્છાઓની ધોધ વર્ષી રહ્યો છે