મોરબી જીલ્લા ક્રિકેટ એસોના પ્રમુખ કાન્તિલાલ અમૃતિયા સાથે હેડ કોચ નિશાંત જાનીએ મુલાકાત કરી

આ વર્ષે ઉ-૧૯ અને ઉ-૨૩ની મોરબી જીલ્લા ક્રિકેટ એસો. ની ટીમ જયારે પ્લેટ ગ્રુપમાંથી ચેમ્પીયન બની અને એલીટ ગ્રુપમાં પ્રવેશી, આ પ્રસંગે કાન્તિલાલ અમૃતિયાએ પ્લેયર્સ, કોચ અને સપોર્ટ સ્ટાફને શુભેછા પાઠવી હતી અને આવનારા સમયમાં મોરબી નું ક્રિકેટ વધુ ને વધુ સારું કરે તેનું પ્લાનિંગ નિશાંત જાની સાથે કર્યું હતું
તે સિવાય નિશાંત જાની આ વર્ષે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ની ઉ-૧૬ ટીમ અને સીનીયર વુમન્સ ટીમનાં કોચ બન્યા તે માટે શુભેચ્છા પાઠવી હતી અને વધુ માં વધુ મોરબી નું ક્રિકેટ આગળ વધે અને વધુમાં વધુ પ્લયેર સૌરાષ્ટ્ર અને ઇન્ડિયા માટે રમે તે માટેનુ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.