મોરબી ” આમ આદમી પાર્ટીએ આગામી નગરપાલિકા ચુંટણી માટે ઉમેદવારી પત્ર જાહેર જનતા સમક્ષ રજૂ કર્યું

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આજ એક આગામી નગરપાલિકા ચુંટણીને અનુલક્ષીને એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા અને શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ દ્વારા આગામી મોરબી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ અને મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ જેમાં પ્રજા પણ ગળા સુધી આવી ગઈ છે જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી મોરબી એ પ્રજા સમક્ષ આજે ઉમેદવારી નોંધાવવા માટે પત્ર જાહેર કર્યું છે.

આવનારી નગરપાલિકા ચૂંટણી મા પ્રજા ના પ્રશ્નો ને ધ્યાન મા રાખી યોગ્ય અને બાહોશ પ્રજા ના પ્રશ્નો નુ નિરાકરણ લાવી શકે એવા ઉમેદવારો મેદાન મા ઉતારવા મા આવશે આ મિટિંગ માં આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા ના ટોચ ના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.