મોરબી : રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૪-૦૯-૨૦૨૩ ના રોજ લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે.

રઘુવંશી યુવક મંડળની યાદીમાં જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૨૪ સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે.જેમા ધો ૯ અને તેથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામા આવશે.આ સરસ્વતી સન્માન સમારોહમાં ભાગ લેવા માટે ઇચ્છુક વિધાર્થીઓએ તા.૧૪ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે.

ફોર્મ મેળવવા અને પરત આપવા માટે મોરબીના કુબેરનાથ મંદિરવાળી શેરીમાં આવેલા મનોજ ઝેરોક્ષ, નવાડેલા રોડ પર આવેલા દરિયાલાલ આલુ ભંડાર અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલા કેવિન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ ખાતે સંપર્ક કરી શકાશે અને વધુ માહિતી માટે પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ તથા પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઇ કાથરાણીનો સંપર્ક કરવા જણાવાયું છે.