હળવદ માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન જાહેર કરાયા

માર્કેટિંગ યાર્ડ હળવદ ના નવા ચેરમેન તરીકે રજનીભાઈ સંઘાણી તેમજ વાઇસ ચેરમેન તરીકે કિશોરભાઈ દલવાડી ની નિમણૂક કરવામાં આવી

વિશાલ જયસ્વાલ હળવદ : માર્કેટિંગ યાર્ડ હળવદ માં ભાજપ નો દબદબો કાયમી ધોરણે રહ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પ્રેરિત પહેરેલો જીતી આવી છે ત્યારે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ આ પેનલ બિનહરીફ જાહેર થઈ હતી ત્યારે આ પેનલના ઉમેદવારો માંથી ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની પસંદગી કરવાની હતી જેમાં રજનીભાઈ સંઘાણીને ચેરમેન તેમજ કિશોરભાઈ દલવાડીને વાઇસ ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા

આ બંને ના નામ જાહેર થતા ની સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા તેમજ ધારાસભ્ય સહિતનાઓએ હાજરી આપી આ બંને નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભકામનાઓ પાઠવી હતી