વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

વાંકાનેર ની રાણેકપર પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ તથા બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાનું તથા સ્કૂલ સેફ્ટી નું આયોજન કરવામાં આવ્યું.

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી. આદિવાસી સમાજના વીર બિરસા મુંડા અને દ્રૌપદી મૂર્મુ તથા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર વિશે પ્રાર્થનાસભામાં શિક્ષકો દ્વારા માહિતી અપાઇ તથા શિક્ષણની સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રસ જાગે તે હેતુથી ધો.1 થી 5 ના બાળકો માટે “બાલમેળો” અને ધોરણ 6 થી 8 ના બાળકો માટે લાઈફ સ્કીલમેળાનું શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના તમામ બાળકોએ હોશે હોશે ભાગ લીધો.