ABVP દ્વારા વાંકાનેર નગર કારોબારી ઘોષણા સાથે ટ્રાફિક અવરનેસ સંવાદ યોજાયો

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : વાંકાનેર શહેરના અમરસિંહજી હાઇસ્કુલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા દ્વારા વાંકાનેર નગર કારોબારીની ઘોષણાં કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સાથે ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મેહમાન તરીકે PSI ધર્મિષ્ઠાબેન કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

નગર કારોબારી-2023-24 ની રચના કરવામાં આવી હતી જેમાં નગરમંત્રી તરીકે હાર્દિકભાઇ સોલંકી , નગર સહમંત્રી દિવ્યાંગભાઇ સરેસા , નગર સહમંત્રી ગિરિરાજસિહ ઝાલા , નગર કાર્યાલય વિશ્વરાજસિહ ઝાલા , SFD સંયોજક આદિત્યભાઇ વાઘેલા , SFD સહ સંયોજક જયદીપભાઈ સુમેશરા , SFS સંયોજક નિધીબેન સરેસા SFS સહ સંયોજક સોંરભભાઈ સુરાણી , સોશ્યલ મીડિયા સંયોજક હર્ષરાજસિંહ ઝાલા , રમત ગમત સંયોજક અનુરાગભાઇ મકવાણા , કારોબારી સદસ્ય અરવિંદભાઈ પરમાર , રૂશીભાઈ, સુજલભાઈ સોલંકી ,મયુરભાઇ પરમાર,અલ્પેશભાઈ પરમાર ની ઘોષણા કરવામાં આવી હતી.