વાંકાનેરમાં મહારાજા તથા રાજ્ય સભાના સાંસદના અધ્યક્ષ સ્થાને શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

(રિપોર્ટર – પંડયાજી : વાંકાનેર) : સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે તેમજ “હર ઘર ત્રિરંગા” અંતર્ગત રાષ્ટ્રના સ્વાભિમાન અને આપણા સહુનું ગૌરવ એવા રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રીય સન્માન સાથે વધુમાં વધુ સ્થાનો પર લહેરાવવાના હેતુથી ત્રિરંગા સન્માન જાગૃતિ માટેના પ્લે કાર્ડ, બૅનર સાથે તા. ૧૧, ૧૨ અને ૧૩ ઓગષ્ટ દરમિયાન તમામ જીલ્લા/મહાનગરમાં મંડલ વોર્ડ માર્કેટ, શોપિંગ મોલ અને ચાર રસ્તા જેવા જાહેર સ્થળો પર યુવા મોરચાના કાર્યકર્તાઓ ધ્વારા ત્રિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

જેમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી નિતેશ પાટડિયા, ઉપપ્રમુખ ઋષીરાજસિંહ ઝાલા,
કિશાન મોરચા મંત્રી ક્રિપાલસિંહ ઝાલા તેમજ યુવા મોરચા ના કાર્યકર્તા મિત્રો હાજર રહ્યાં હતાં.