વાંકાનેર તાલુકાના ગાંગીયાવદરની પરણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ત્રણ માસની માસૂમ બાળકીએ માતાનું વાત્સલ્ય ગુમાવ્યું

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામની પરિણીતાએ બે વર્ષનાં દાંમ્પત્ય જીવનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બનાવની વધુ તપાસ ડીવાયએસપી દ્વારા શરૂ કરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતા મધુબેન જીતેશભાઇ લામકા (ઉ.વ. 24) નામના પરિણીતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં મૃતક મધુબેનના લગ્ન બે વર્ષ પૂર્વે જ થયા હોય જેથી માત્ર બે વર્ષના દાંપત્ય જીવન બાદ મહિલાએ અઘટીત પગલું ભરી લેતા ત્રણ માસની માસૂમ બાળકીએ માતાનું વાત્સલ્ય ગુમાવ્યું હતું ઘટનાની ડીવાયએસપીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.