અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્યના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

મોરબીમાં સેવાકિય કાર્યથી જાણીતું બનેલું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય ગોધાણી જયેશભાઈ ગોપાલભાઈના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મોરબીના નવલખી ફાટક, અગ્નેશ્વર મહાદેવ મંદિર, મયુર પુલ નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને બટેકા પવાનું સ્વાદિષ્ટ નાસ્તો કરાવી આનંદ અનુભવી જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. ત્યારે જયેશભાઈના જન્મદિવસની સગાં-સંબંધીઓ તથા બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, જાગૃતિબેન, પ્રભાબેન મકવાણા, અલ્પાબેન કક્કડ સહિતના જોડાયા હતા.