મોરબી માધાપરવાડી કન્યા શાળાનો જ્ઞાનસાધના સ્કોરલશિપ પરીક્ષામાં ડંકો

મોરબીની માધાપરવાડી કન્યા શાળા જ્ઞાન સાધના કસોટીમાં ચૌદ બાળાઓના મેરિટમાં સમાવેશ સાથે મોખરે

મોરબી,અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે અભ્યાસમાં પણ મોખરાનું સ્થાન ધરાવતી માધાપરવાડી કન્યા શાળાની ધોરણ આઠના બાળકો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત જૂન જૂન માસમાં લેવાયેલ જ્ઞાનસાધના કસોટીમાં હારા નિતીનભાઈ પરમાર,સંજના ભરતભાઇ નકુમ,કિંજલ કરશનભાઈ હડિયલ,જુગની રમેશભાઈ નકુમ,રસ્મિતા હસમુખભાઈ ચાવડા,પૂજા શાંતિલાલ,ડાભી,નિરાલી ભીમજીભાઈ ડાભી,રાધિકા રમેશભાઈ હડિયલ, ડિમ્પલ રાજેશભાઈ ચાવડા,સરસ્વતી રમેશભાઈ કંઝારીયા,નેહલ ભાવેશભાઈ કંઝારીયા ધ્રુવીતા મહેશભાઈ ડાભી,ઉર્મિલા બેચરભાઈ પરમાર, નિરાલી મહાદેવભાઈ હડિયલ વગેરે ચૌદ બાળાઓનો મેરિટમાં સમાવિષ્ટ થતા

મોરબી જિલ્લામાં માધાપરવાડી કન્યા શાળાએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરતા તમામ બાળાઓ હાલ ધોરણ નવ જે જે માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે એ શાળાઓમાંથી શિષ્યવૃતિ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી આપેલ છે તમામ બાળાઓને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર દ્વારા ધન્યવાદ પાઠવેલ છે.