વાંકાનેર તાલુકાના ભોજપરા ખાતે વૃક્ષારોપણ કરાયું

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના ફાર્માસિસ્ટ નીલેશભાઈ સરાસવાડિયા દ્વારા મેડીકલ ઓફિસર ડો. અજય ચાવડા અને સ્ટાફના સહયોગથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોજપરા વાંકાનેર ખાતે ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો

સાથે જ રાજકોટની સંસ્થા પાસેથી નિશુલ્ક પીંજરા મેળવી વૃક્ષોના સંરક્ષણની વ્યવસ્થા કરી હતી અગાઉ પણ તેઓએ વૃક્ષોનું વાવેતર કરી જતન કરી રહ્યા છે.