વાંકાનેર નજીક અજાણ્યા શખ્સનું ટ્રેન હડફેટે મોત પોલીસ દ્વારા વાલી વારસ શોધખોળ આરંભી

રિપોર્ટર પંડયાજી વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન નજીક ગઈકાલે બપોરના સમયે પસાર થતી સોમનાથ – અમદાવાદ ટ્રેન હેઠળ ઝંપલાવી અંદાજે 45 વર્ષના અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસની તપાસ હાથ ધરવામાં આવી છે.