હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે સ્વાતંત્ર પર્વની ઉજવણી આન બાન અને શાન કરવામાં આવી

વિશાલ જયસ્વાલ હળવદ :  મામલતદાર ચિંતન આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ભારત દેશના સ્વતંત્ર થયાના 77 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે આ પર્વની ઉજવણી હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે તાલુકા કક્ષાની કરવામાં આવી હતી

જેમાં હળવદ મામલતદાર ચિંતન ભાઈ આચાર્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ ગુલાબસિંહ રાજપુત , એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, પૂર્વ ચેરમેન રણછોડભાઈ પટેલ , ઘનશ્યામભાઈ ગોહિલ સહિતના નેતાઓ તેમજ સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા.

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી દેશભક્તિનો માહોલ બનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આન બાન અને શાન થી તિરંગા ને સલામી આપી હતી