માટેલ ધામ ખાતે બિરાજમાન ખોડીયાર માતાજીને શ્રાવણ માસમાં શિવજીનો શણગાર કરાયો

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) :  હાલ જીવને શિવમય બનવાનો એટલે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં પૂજા અર્ચના કરવા શિવાલયમાં પહોંચી જાય છે ત્યારે શ્રાવણ માસના અનુસંધાને તાલુકાના માટેલ ધામ ખાતે બિરાજમાન શ્રી ખોડિયાર માતાજીને ફૂલો દ્વારા શિવલિંગ આકારથી શણગારવામાં આવ્યાં છે.

માટેલ ધામ ખાતે માતાજીના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને માતાજી ના દર્શન સાથે દેવાધિદેવ મહાદેવ ના દર્શન નો લહાવો મળતો હોય દર્શનાર્થીઓમા ભક્તિનો રંગ જામ્યો હતો.