મોરબી : નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ-3નું આગામી તારીખ 23rd August to 31st august 2023 ના રોજ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રીમિયર લીગમાં પાંચ ટીમ વચ્ચે જંગ ખેલાશે ત્યારે તેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હેડકોચ નિશાંત જાનીની હાલાર હીરોઝની ટીમમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે કોચ જાની એ SPL-3માં ટીમને ભવ્ય જીત અપાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહ અત્યંત એક્ટિવ છે અને આ વરણી માટે નિશાંત જાની એ તેમનો આભાર માન્યો હતો.

એટલું જ નહીં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાને પણ કોચ નિશાંત જાનીએ આ તકે યાદ કર્યા હતા અને કાંતિભાઈના સતત માર્ગદર્શનને પણ કોચ નિશાંત જાનીએ મુલવ્યું હતું અને તેમનો આભાર માન્યો હતો