વાંકાનેરના રાજવીએ રાજ્યસભામાં સાંસદ તરીકે સપથ ગ્રહણ કર્યા

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વાંકાનેરના રાજવીએ રાજ્યસભામાં બિનહરીફ વરણી કરવામાં આવી હતી જે અનુસંધાને તા.21 ઓગષ્ટના વાંકાનેર મહારાજા કેશરીદેવસિહજીએ દિલ્હી ખાતે રાજ્ય સભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા રાજ્ય સભાના સભ્ય તરીકે સપથ ગ્રહણ કરેલ.

સાંસદ તરીકે સપથ ગ્રહણ કરતા વાંકાનેર પંથકમાં લોકોમા આનંદની લાગણી પ્રસરી હતી. સપથ ગ્રહણ વિધિ નિહાળવા શહેરના ભાજપ કાર્યાલય ગરાસીયા બોર્ડિંગ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા ટી.વી.નાં મોટા પડદે સૌ કાર્યકરોએ સાથે મળી સપથ ગ્રહણ વિધિ નિહાળવામા આવેલ અને ઉપસ્થિત સૌ એ મીઠા મોઢા કરી આનંદ વ્યક્ત કર્યો હતો.