વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરાયું

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા બ્રહસમાજના ધો. ૧ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ફૂલસ્કેપ નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું છે. ઔદિચ્ય બ્રહ્મસમાજના દરેક વિદ્યાર્થીઓ માટે સમાજ દ્વારા વિના મૂલ્યે નોટબુક વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે

જેના અનુસંધાને બ્રહસમાજનાં પ્રમુખ રજનીભાઇ રાવલ તથા સુરેશભાઈ ભટ્ટના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું હતું. વધુમાં પ્રમુખે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ નોટબુક મેળવવામાં બાકી હોય તેઓએ આગામી મંગળવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધીમાં ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ વાડી રામ ચોક ખાતે ઉપસ્થિત રહેવું.