મોરબી : ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ ને સાથે પારિવારિક સ્નેહમિલન નું આયોજન તા ૨૭ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે સિધ્ધિ વિનાયક વાળી સરદાર બાગ સામે પેટ્રોલપંપ વાળી શેરી ખાતે યોજાશે.

જેમાં સંતો,મહંતો મોરબી સહિત સૌરાષ્ટ્ર ગુજરાત ના ગોસ્વામી સમાજ ના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સન્માન સમારોહ માં બપોરે ૧૨:૩૦ કલાકે સમુહભોજન નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ સમારોહ ને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી, મંત્રી નિતેશગીરી,પૂર્વ પ્રમુખ અમીતગીરી ગુણવંતગીરી, સહિત યુવક મંડળ ની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.