દિવ્યાંગ પારિતોષિકો મેળવવા ૩૦ નવેમ્બર સુધી અરજી કરી શકાશે

અરજદાર www.talimrojagar.gujarat.gov.in પર અરજી કરી શકશે

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-૨૦૨૩ નાં રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના  દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે જુદી જુદી કેટેગરીમાં રોજગાર વિભાગ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોંકરી પર રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને આત્મનિર્ભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ આ અરજી કરી શકશે.

        દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમુનો www.talimrojagar.gujarat.gov.in પરથી અથવા રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતેથી  વિનામૂલ્યે મળી શકશે. રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. જરૂરી દસ્તાવેજો  સાથે બે નકલમાં રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં.૨૧૪ બીજો માળ, સો-ઓરડી વિસ્તાર મોરબી ખાતે તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા. અધૂરી વિગત વાળી કે નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં તેમ મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.