મોરબી જલારામ મંદિર ખાતે રાહતદરે શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદીયા વિતરણ કરાશે

શિયાળા નો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડી નો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ શનીવાર તા.૨૫-૧૧-૨૦૨૩ થી શરૂ કરવા મા આવશે.

અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળા ની મોસમ દરમિયાન કરવા મા આવશે.દરરોજ તાજા અડદીયા વિતરણ કરવા મા આવશે. શુધ્ધ ઘી માંથી બનેલ સુકામેવા થી ભરપુર અડદીયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી નો સંપર્ક કરવો.