મોરબી શહેરના રઘુવીર સેના સાવૅજનિક ટ્રસ્ટ અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૬ નવેમ્બરને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.), BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
૧.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા,
૨.સાયટીકા/ સાંધાના વા /ઘૂંટણ માં ઘસારા / ગાદી ખસવી
૩.હાથ – પગ તથા મોઢાના લકવા – પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર
૪.તમાકું, ગુટકા તથા મોઢા ના કેન્સર ના ઓપરેશન પછી જકડાયેલ મોં
૫.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર
૬.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ
૭.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.
૮.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો
૯.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દી.
આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.
તેમજ રજીસ્ટ્રેશન માટે મો.8160282456, 9979435494 પર સંર્પક કરવો.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી નિર્મિતભાઈ કક્કડ તથા અન્ય સભ્યો યોગદાન આપી રહ્યા છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)