મોરબી : ચક્રવાત ન્યુઝના પત્રકાર યોગેશ રંગપડીયાના પિતાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી રમેશભાઈ મકનભાઈ રંગપડીયા (ઉ.વ.૫૯) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત,ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા તેમજ મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.૨૫ને રવીવારના રોજ અવસાન થયું છે.

સદગતનું બેસણું તા. ૨૯ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે સનરાઈઝ એપાર્ટમેન્ટ,ગજાનન પાર્ક રામકો બંગલો પાછળ,લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખ્યું છે. તેમજ સાંજે ૮ થી ૧૦ કલાકે રાજપર ગામ ખાતે નવા પ્લોટ વિસ્તારમાં મહેશભાઈ મકનભાઈ રંગપડીયા નાં ઘરે રાખેલ છે લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે