મોરબી : ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા અતિ ગરીબ પરિવાર તથા ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરાઈ

ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દર મહિનાની ૧ થી ૫ તારીખ ની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે આ કીટમા આશરે ૧૨ ( બાર) વસ્તુઓ આપવામાં આવે છે

આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યાં ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે અને તેમાંથી મળેલા દાન નો ઉપયોગ આવા સેવાયજ્ઞ માં કરવામાં આવે છે અમારા મંડળના સભ્યો થકી આ કાર્ય કરવામાં આવે છે તેમ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખની યાદી માં જણાવવામાં આવે છે