મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરાશે 

સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા આગામી તા. ૧૦ ને બુધવારના રોજ શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે
મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તારીખ ૧૦ ને બુધવારે સવારે ૮ કલાકે ધ્વજા રોહ્ન્મ સવારે ૧૧ કલાકે મહાઆરતી, બપોરે ૧૨ : ૩૦ કલાકે મહાપ્રસાદ ને સાંજે ૫ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે ડીજે ના તાલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા શોભાયાત્રા નીકળશે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળશે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવને પગલે તમામ સિંધી ભાઈઓએ બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.