મોરબી તાલુકા ભાજપ દ્વારા રફાળેશ્વર ગામે મોદી પરીવાર સભા યોજાઇ

ગુજરાત પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર સમગ્ર ગુજરાત મા શકિત કેન્દ્ર દીઠ મોદી પરીવાર સભા નુ આયોજન કરવામા આવેલ છે

મોરબી તાલુકા ના રફાળેશ્વર ગામે જાંબુડીયા અને પાનેલી શકિતકેન્દ્ર ની મોદી પરીવાર સભા મા 7 ગામ ના આગેવાનો તથા કાર્યકર્તા ભાઇઓ- બહેનો એ ભાગ લીધો હતો

મોદી પરીવાર સભા મા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા એ જણાવ્યુ હતુ કે ભારત ના વડાપ્રધાન જ્યારે બધા ભારત વાસી ઓ ને એક પરીવારજન ગણતા હોય તેમજ પરીવાર ના મોભી બની યુવા, ગરીબ, મહિલા, ખેડુતો ના ઉત્થાન માટે સતત 16 કલાક મહેનત કરતા હોય એવા પ્રધાનમંત્રી ને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી

તેમજ આગામી ચુટણી મા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ ના સુત્ર ને સાર્થક કરી આગામી 2047 સુધી માં ભારત દેશ ને વિકસિત ભારત બનાવવા ના મોદી સાહેબ ના સંકલ્પ ને પરિપૂર્ણ કરવા રાજકોટ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર શ્રી પરસોતમ ભાઇ રુપાલાજી ને વિજયી બનાવવા અપીલ કરી હતી

આ કાર્યક્રમ મા મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેધી, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પુર્વ ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, ઉપપ્રમુખ બચુભાઇ અમૃતિયા, ચેરમેન રાજુભાઇ પરમાર, પુર્વ ચેરમેન હંસાબેન સોલંકી,તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કાનજીભાઇ ચાવડા, લાલજીભાઇ સોલંકી, કવીન શાહ,રમેશભાઇ કણસાગરા, ગોતમભાઇ હડીયલ, કાનાભાઇ પરમાર, છનાભાઇ રબારી , નૌતમભાઇ ચાવડા , વિનુભાઇ અજાણા સહિત ના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા

મહાનુભાવો ના હસ્તે ભારતીય જનતા પાર્ટી ને મજબુત કરવા ધણા વર્ષો થી પાર્ટી નુ કામ કરતા વરિષ્ઠ કાર્યકર્તા ઓ નુ સન્માન કરવામાં આવ્યુ હતુ