મોરબી દૂરદર્શનના પત્રકાર મહેન્દ્રસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબીમાં છેલ્લા દોઢ દાયકાથી વધુ સમય માટે પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત અને દુરદર્શન સાથે જોડાયેલા મહેન્દ્રસિંહ જાડેજાનો આજે તા.૧૨-૪ ના રોજ જન્મદિવસ છે.મૂળ માળિયા મીંયાણા તાલુકાના મોટાભેલા ગામના વતની મહેન્દ્રસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી દુરદર્શન ક્ષેત્રે સંકળાયેલા છે અને તેઓ મોરબી જિલ્લામાં દુરદર્શનનું રિપોર્ટિંગ કરી રહ્યા છે.

મળતાવળા સ્વભાવના કારણે તેઓ પત્રકાર મિત્રો અને મોરબીવાસીઓમાં પણ આગવી લોકચાહના ધરાવે છે.આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સંબંધીઓ, મિત્રો, રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તેઓને તેમના મોબાઈલ નંબર ૯૯૨૫૭ ૨૬૩૫૫ ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.