સામાજિક સમરસતા નું ઉત્તમ કાર્ય મોરબીમાં જોવા મળ્યું વાલ્મિકી સમાજના રાજુભાઈ મોહનભાઈ પરમાર તથા અ.સૌ.ભાનુબેન રાજુભાઈ પરમારની લાડકવાયી પુત્રી ચિ. ભુમિબેન ના લગ્ન તા.૧૨/૧૪ એપ્રિલ ૨૦૨૪ ના યોજાયા.
આ શુભ લગ્ન અવસરે મોરબીના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી પરિવારના મહેન્દ્રભાઈ જેઓ વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણી છે તથા તેમના માતા ધનીબેન,અશ્વિનભાઈ, અ.સૌ. જોસનાબેન , અ.સૌ.વૈશાલીબેન એમ સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ચિ. ભુમિબેન નું મામેરું (મોસાળું) ભરવામાં આવેલ.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
આ શુભ અવસરે રાજુભાઈ પરમાર ના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)