મોરબીના ઉદ્યોગપતિએ વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું

સામાજિક સમરસતા નું ઉત્તમ કાર્ય મોરબીમાં જોવા મળ્યું વાલ્મિકી સમાજના રાજુભાઈ મોહનભાઈ પરમાર તથા અ.સૌ.ભાનુબેન રાજુભાઈ પરમારની લાડકવાયી પુત્રી ચિ. ભુમિબેન ના લગ્ન તા.૧૨/૧૪ એપ્રિલ ૨૦૨૪ ના યોજાયા.

આ શુભ લગ્ન અવસરે મોરબીના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી પરિવારના મહેન્દ્રભાઈ જેઓ વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણી છે તથા તેમના માતા ધનીબેન,અશ્વિનભાઈ, અ.સૌ. જોસનાબેન , અ.સૌ.વૈશાલીબેન એમ સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ચિ. ભુમિબેન નું મામેરું (મોસાળું) ભરવામાં આવેલ.

આ શુભ અવસરે રાજુભાઈ પરમાર ના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.