મોરબી : ડો.આંબેડકર જન્મ જયંતીએ સામાજિક સમરસતા મંચ દ્વારા સરબતનું વિતરણ કરાયું

મહામના ભારતરત્ન માં ભારતી ના સપૂત ડો.બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ જયંતિ ના પાવન અવસરે મોરબી માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

આ શોભાયાત્રા માં સામેલ લોકો ને સામાજિક સમરસતા મંચ મોરબી ના કાર્યકર્તાઓ દ્વારા સરબત વિતરણ કરવામાં આવેલ. આ સરબત વિતરણ કાર્ય માં સમરસતા મંચ ના દિનેશભાઈ વિડજા તથા અન્ય કાર્યકર્તા ઓ એ જહેમત ઉઠાવી હતી.