વાઘપર (પી.) : સંઘાણી પરીવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે હનુમંત મહાયજ્ઞ તથા સ્નેહ મિલન યોજાશે

સંઘાણી પરીવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે વાઘપર (પી.) મુકામે હનુમંત મહાયજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન યોજાશે

શ્રી રોકડીયા હનુમાનજી મંદિર – વાઘપર(પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તા.૨૩/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ શ્રી હનુમાન જયંતી નિમિત્તે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ અને સમસ્ત સંઘાણી પરિવાર ના સ્નેહ મિલન નું આયોજન કરેલ છે. તો આ શુભ અવસરે સમસ્ત સંઘાણી પરિવાર ના કુટુંબીજનો એ સહપરિવાર મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ માં સહભાગી થવા રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર(પી.) વતી ખાસ હાર્દિક નિમંત્રણ છે.