PWD સંચાલિત મતદાન મથકો પર PWD કર્મચારીઓનું કુનેહપુર્વક અને કુશળ સંચાલન
૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૨૭૯, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૧૭૬ અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૯૫ માં PWD કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ મતદાન મથક પરની તમામ કામગીરી અને સંચાલન દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
લોકસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૮૮૯ મતદાન મથકો પર મતદારો ઉત્સાથી મતદાન કરી રહ્યા છે. આ ૮૮૯ મતદાન મથકોમાંથી કેટલાક મતદાન મથકોને સખી મતદાન મથક, મોડેલ મતદાન મથક તેમજ PWD કર્માચારીઓ દ્વાર સંચાલિત મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૨૭૯, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૧૭૬ અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૯૫ માં દિવ્યાંગ કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક આજે કાર્યરત છે.
આ મતદાન મથકો પર બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ ત્રણેય મતદાન મથકોનું PWD કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગ કર્મચારીઓ મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ કર્મચારીઓ મતદારો ને સંપૂર્ણ પણે મદદરૂપ બની રહ્યા છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)